સંવિધાન દિન - સંવિધાનની સાર્થકતા અને ડો બાબાસાહેબ આંબેડકરનુ સંવિધાન સભા સમક્ષ અંતિમ ભાષણ (તા. ૨૬.૧૧.૨૦૨૫)
આજે સંવિધાન દિન છે સંવિધાન જાગૃતિ સમિતિ દ્વારા ચાલેલ અભિયાન ના આ એક મણકો છે આજે ત્રણ કામ છે 1. સંવિધાન દિન એન્ડ ડૉ બાબાસાહેબ ના અંતિમ ભાષણ ની વાત 2. સંઘ વિજયાદશમી ઉત્સવ પ્રસંગે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એન્ડ દલાઈ.લામાનો સંદેશ 3. આજના સંદર્ભમાં સંવિધાન દિન ની સાર્થકતાની ચિંતન બાબાસાહેબને એ વાતનો અતિ આનંદ હતો, એ વાતે અભિમાન હતું કે, તેઓએ વિશ્વ આખામાં ક્યાંય નથી એવી સંવિધાનમાં સંશોધન (ફેરફાર) કરવાની સાવ સરળમાં સરળ પ્રક્રિયાની જોગવાઈ સંવિધાનમાં કરેલી છે. હું આલોચકને પડકાર ફેંકું છું કે, તે એ સાબિત કરે કે દુનિયામાં ક્યાંય પણ કોઈ બંધારણસભાએ, બંધારણના સંશોધન માટે આટલી સરળ પ્રક્રિયા પ્રદાન કરી હોય - ડૉ.બાબાસાહેબ આંબેડકર ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર નું સંવિધાન સભામાં અંતિમ પ્રવચન: • તારીખ 26 નવેમ્બર બંધારણ દિવસ એટલે કે સંવિધાન દિન • જૂનું નામ રાષ્ટ્રીય કાયદા દિવસ (ઉજવણી ફક્ત કાનૂની સમુદાય દ્વારા) • 2015 ની સાલમાં 26 નવેમ્બરને બંધારણ દિવસ જાહેર • આ દિવસે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર(બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ ) • ભારતના રાષ્ટ્રપત...