શ્રી મેઘરાજજી દાદા- ખાનાય જાગીર( કચ્છ)
ભારત સંતો ,મહંતો અને અવતારોની પુણ્ય ભૂમિ છે .અહીંયા અનેક મહાપુરુષો થયા જેમણે સમાજની વચ્ચે રહીને સેવા અને સમાજ સુધારણાની તપસ્યા કરી .તેના અંતે આજે એક સબળ ભારત અનેક ઝંઝાવાતો વચ્ચે ટકીને ઊભું રહ્યું છે .ભારતમાતાનો પાલવ એટલે ગુજરાત અને એ પાલવની ભાતીગળ ડિઝાઇનમાં કચ્છની ધરતી ,કચ્છની સંસ્કૃતિ અને કચ્છના શુરવીરો અને સંતોની ભાત છે .આ ભાગમાં એક અનોખી ભાત એટલે ભગવાનના અવતાર એવા શ્રી રામદેવપીર અને તેમના ભક્ત સંત સમુદાય. કચ્છના અબડાસા લખપત પાસે આવી જ એક ખાનાય જાગીર પાસે થઈ ગયા શ્રી રામદેવજી મહારાજના જ અનન્ય ભક્ત શ્રી મેઘરાજજી દાદા. મેઘરાજજી દાદા ની કર્મભૂમિ એટલે ખાનાઇ જાગીર .કચ્છની સૂકી ધરતી વચ્ચે સંત સેવાની હરિયાળી ઊભી કરનાર મેઘરાજજી દાદા. મેઘરાજજી દાદા ની આ કર્મભૂમિ ઉપર તેમના નિર્વાણના એક વર્ષ નિમિત્તે આયોજિત એક ભાગવત કથા અને રામદેવપીર ની કથામાં જવાનું થયુ. આ સ્થાન અને મેઘરાજજી દાદા ની જે વાતો સાંભળી એનાથી આપણું મન ભગવતમય થઈ જાય એટલું જ નહીં પરંતુ આવા અવતારી પુરુષોની સેવા સામે આપણું મસ્તક નમ્રતાથી ઝૂકી જાય. મેઘરાજજી દાદાએ પોતાનું પૂરું જીવન આ વિસ્તારમાં રહીને અહીં વસ્તી મ...