ભૂજ કચ્છમાં જોગી સમાજના સમુહ લગ્નોત્સવ ૨૧.૬.૨૦૨૬











🌹🌹🌹🌹🌹🌹

“તેરા તુજકો અર્પણ “ટ્રસ્ટ દ્વારા તારીખ 21 જૂન 2026 ના રોજ જોગી સમાજની દીકરીઓ માટે સમૂહ લગ્ન ઉત્સવ નું આયોજન કરવામાં આવેલ.આ ટ્રસ્ટ દ્વારા આ ચોથું સમુહ લગ્નઆયોજન હતું. યક્ષમંદિર માધાપર ખાતે યોજાયેલા લગ્નોત્સવ માં 10 યુવક યુવતીઓ લગ્ન બંધનથી જોડાયા હતા. સમાજની અંદર નાનો વર્ગ જે આર્થિક રીતે સક્ષમ નથી. તેમ જ પરંપરાગત લગ્નની વિધિ કરવા માટેની જેમની પાસે આર્થિક સગવડતાઓ નથી એવા સમાજમાં લગ્ન સંસ્કાર યોગ્ય સ્વરૂપમાં જળવાય તથા નવા ઘરના પોતાના શરૂઆત માટેના જરૂરીયાતના સાધન સામગ્રી મળી રહે એવું કાર્ય સમાજના સેવાભાવી ઘણા ટ્રસ્ટ દ્વારા થતું હોય છે.( અહી થયેલ જોગી સમાજ સામાન્ય મજૂરી કરે છે તેમજ તેઓ માતાજીના ભક્તો કહેવાય છે જે પરંપરાગત” ડાકલા” વગાડી માં ની ભક્તિ આરાધના કરતા હોય છે.)   આ કાર્ય મા તે જ સમાજના હેમલતાબેને ખૂબજ અગ્રગણ્ય ભાગ ભજવેલ.  તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા સમાજના સહકાર અને સેવાભાવી ભામાશા-કર્ણ જેવા દાનવીરોના દાનથી આ શુભ પ્રસંગ યોજાયો હતો. વિવિધ રાજકીય પક્ષો ,સામાજિક સંસ્થાઓ અને શાસન પ્રશાસનના અનેક કાર્યકર્તાઓએ આ કામને હાજર રહી બિરદાવ્યું હતું. ભુજમાં આ દિવસે સંઘના અન્ય કાર્યક્રમને કારણે મારે પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો.આ પ્રસંગે સમૂહ લગ્ન ઉત્સવમાં જઈને બધાને લગ્ન સંસ્કાર ની શુભકામનાઓ પાઠવી હતી. એક જ માંડવેથી જ્યારે દશકન્યાઓ વિદાય થતી હોય ત્યારે સમાજ સંસ્કારની એક સરિતા વહેતી હોય છે .આવા શુભ પ્રસંગે ઉપસ્થિત રહીને બધાના આનંદના સહભાગી થવું  એ પણ એક આનંદદાયક કાર્ય છે ,અનુભવ છે .આવા સમૂહ લગ્ન વિશેના મારા થોડા વિચારો પણ અહીંયા રજૂ કરું 

     સમૂહ લગ્ન ઉત્સવ: આ મંગલ અવસર છે  જ્યાં સાદગી અને સંસ્કારનો સંગમ થયો છે.

સમૂહ લગ્ન એ માત્ર ખર્ચ બચાવવાનું સાધન નથી, પણ સમાજને એક તાંતણે બાંધવાનું માધ્યમ છે. 

જ્યારે એક જ મંડપ નીચે અનેક દીકરીઓ વિદાય લે છે, ત્યારે તે સાબિત કરે છે કે સમગ્ર સમાજ એક પરિવાર છે. ભભકાદાર ખર્ચ અને દેખાડા પાછળ પૈસા ઉડાવવા કરતા, એ જ પૈસા જો નવદંપતીના ઉજ્જવળ ભવિષ્ય માટે વાપરવામાં આવે તો એ સાચા અર્થમાં 'કન્યાદાન' છે.

        ગુજરાતની આ ધરા હંમેશા નવી રાહ ચીંધતી રહી છે. આજે આ નવયુગલો જે સાદાઈથી જીવનના નવા સોપાન સર કરવા જઈ રહ્યા છે, તે બદલ આયોજકો અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન. આવો, આપણે સૌ સાથે 

 

મળીને આ નવદંપતીઓને સુખી દાંપત્યજીવનના આશીર્વાદ આપીએ.

      ગુજરાતમાં સમૂહ લગ્ન એ માત્ર એક સામાજિક રિવાજ નથી, પરંતુ આર્થિક અને નૈતિક પરિવર્તનનું એક સબળ માધ્યમ પણ છે. આ પરંપરા પાછળનો મુખ્ય વિચાર સમાજને ખોટા દેખાડા અને આર્થિક બોજમાંથી મુક્ત કરવાનો છે. સમૂહ લગ્નનો હેતુ, તેના ફાયદા અને મુખ્ય વિચારો નીચે મુજબ છે:

૧. સમૂહ લગ્નનો મુખ્ય હેતુ

• બિનજરૂરી ખર્ચ ઘટાડવો: લગ્ન પાછળ થતા અતિશય ખર્ચને રોકીને મધ્યમ અને ગરીબ વર્ગને આર્થિક રીતે સુરક્ષિત કરવાનો હેતુ છે.

• સમાનતાની ભાવના: અમીર અને ગરીબ એક જ મંડપ નીચે લગ્ન કરે ત્યારે સમાજમાં સમાનતાનો સંદેશ ફેલાય છે.

• સામાજિક એકતા: અલગ-અલગ પરિવારો જ્યારે સાથે મળીને મંગલ કાર્ય કરે છે, ત્યારે સામાજિક સંપર્ક અને ભાઈચારો વધે છે.

૨. સમૂહ લગ્નના ફાયદા

• આર્થિક બચત: ડેકોરેશન, ભોજન સમારંભ, મંડપ અને આમંત્રણ કાર્ડનો ખર્ચ વહેંચાઈ જવાથી દરેક પરિવાર પરનું ભારણ ઘણું ઓછું થઈ જાય છે.

• સમય અને શક્તિનો સદુપયોગ: એક જ દિવસે અને એક જ સ્થળે તમામ વિધિઓ પતી જતી હોવાથી મહેમાનો અને યજમાન બંનેના સમયની બચત થાય છે.

• દેવામાંથી મુક્તિ: દીકરીના લગ્ન માટે વ્યાજે નાણાં લેવાની કે મિલકત ગીરે મૂકવાની પરિસ્થિતિમાંથી પિતા બચી જાય છે.

• નવદંપતીને સહાય: ઘણી સામાજિક સંસ્થાઓ સમૂહ લગ્નમાં કરિયાવર (વાસણ, ઘરવખરી) ભેટમાં આપે છે, જે નવા સંસારની શરૂઆત કરવામાં ખૂબ મદદરૂપ બને છે.

• પર્યાવરણની જાળવણી: અલગ-અલગ સેંકડો લગ્નોને બદલે એક જ આયોજન હોવાથી અનાજનો બગાડ ઓછો થાય છે અને ધ્વનિ પ્રદૂષણ કે કચરો પણ નિયંત્રિત રહે છે.

૩. સમૂહ લગ્ન પાછળનો વિચાર (ફિલોસોફી)

• "લગ્ન એ સંસ્કાર છે, પ્રદર્શન નહીં": આ વિચારધારા મુજબ લગ્નને ભભકાદાર બનાવવાને બદલે તેને પવિત્રતાથી અને સાદાઈથી ઉજવવા જોઈએ.

• બચત કરેલા નાણાંનો ભવિષ્યમાં ઉપયોગ: લગ્નના એક દિવસના જમણવારમાં 

 

લાખો રૂપિયા ઉડાવવા કરતા તે નાણાં દંપતીના શિક્ષણ, વ્યવસાય કે સુખદ ભવિષ્ય માટે વાપરવા જોઈએ.

• કુરિવાજો પર પ્રહાર: સમાજમાં ઘર કરી ગયેલા મોભાના પ્રદર્શન અને દહેજ જેવી પ્રથાઓને નાબૂદ કરવા માટે સમૂહ લગ્ન એ શ્રેષ્ઠ ઉપાય છે.

ગુજરાતમાં સેવાભાવી સંસ્થાઓ અને જ્ઞાતિની વિવિધ મંડળીઓ દ્વારા આ પરંપરાને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે, જે એક પ્રગતિશીલ સમાજની નિશાની છે.🙏🙏

 

 

Comments

Popular posts from this blog

વિદ્યાભારતી પૂર્વ છાત્ર પૂર્વ આચાર્ય સંમેલન: પ્રેરણપીઠ , કર્ણાવતી દિ ૪.૧.૨૬

શ્રી મેઘરાજજી દાદા- ખાનાય જાગીર( કચ્છ)

Message at IMA NATCON100 : Dr Hedgwar’s legacy